Ø ગામનુંનામ – હરિપર(મેવાસા)
Ø તાલુકો _
કાલાવડ
Ø જિલ્લો _
જામનગર
Ø હરિપર(મેવાસા) ગામની સ્થાપના
અંદાજે આજથી ૧૨૫ વર્ષ પહેલા થઈ હતી.
Ø હરિભાઈ સૂબેદાર નામના વ્યક્તિએ આ ગામ વસાવ્યું
હોવાથી આ ગામનું નામ હરિપર પડ્યું.
Ø ગામમાં કોઈ જૂનાં
ખંડેર,કિલ્લા,પ્રાચિન અવશેષ,પળિયા કે બીજા કોઈ સ્થાપત્યો જોવા મળતાં નથી.
Ø ગામમાં પ્રાથમિક શાળાની શરૂઆત ઈ.સ.૧૯૫૦
માં થઈ હતી.
Ø ગામની ૨૦૧૧માં વસતિ મુજબ સંખ્યા –
પુરૂષ = ૩૮૧ + સ્ત્રી = ૩૮૯ કુલ = ૭૭૦
Ø દર ચોરસ કિલોમીટરે ગામની વસતિ
ગીચતા – ૭૭૦
Ø ગામનું જાતિ પ્રમાણ – દર ૧૦૦૦
પુરૂષે ૧૦૨૦ સ્ત્રીઓ.
Ø ગામની સાક્ષરતા – પુરૂષ = ૫૮.૫૦% +
સ્ત્રી ૫૨.૯૬% કુલ = ૫૫.૮૫%
Ø ગામમાં રહેતા લોકોના ધર્મ – હિન્દુ
, મુસ્લિમ
Ø ગામમાં રહેતા લોકોની જ્ઞાતિ –
સુમરા,સંધિ , રબારી , પટેલ , બ્રાહ્મણ, વણકર, જત મલેક, કોળી
Ø ગામમાં તેમજ ગામની નજીકમાં રામ
મંદિર, સિધ્ધેશ્વર મહાદેવ મંદિર,ઉમરાળા પીરની દરગાહ જોવા મળે છે.
Ø ગામનાં રામ મંદિરની સ્થાપના વખતે
ગામના હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ સંયુક્ત રીતે ભાગ લઈને રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી
હતી તેમજ લોક ડાયરાનો કાર્યક્ર્મ સાથે મળીને રાખ્યો હતો.
Ø ગામમાં રબારી લોકોનો પહેરવેશ ચોરણી
અને કેડિયું અન્ય લોકોથી અલગ પડે છે.
Ø ગામમાં જોવા મળતા મકાનનો પ્રકાર :-
કાચા મકાન , મધ્યમ પાકાં મકાન , પાકા મકાન
Ø ખેતીની જમીન ફળદ્રુપ મધ્યમ કાળી
છે.
Ø સમશિતોષ્ણ આબોહવા તેમજ ૨૬° થી
૪૦° સે.
તાપમાન અને સરેરાશ વાર્ષિક વરસાદ ૨૦ ઈંચ રહે છે.
Ø અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી
અને પશુપાલન છે.
Ø ખેતીમાં મુખ્યત્વે રોકળીયા પાકમાં
કપાસ, મગફળી તેમજ ધાન્ય પાકમાં ઘઉં,મકાઈ તેમજ અન્ય પાકમાં જીરૂ, કઠોળ થાય છે.
Ø અહીંના લોકોનો મુખ્ય ખોરાક
ઘઉં,બાજરી છે.
Ø આ બધા પાક કૂવાના પાણી દ્વારા
સિંચાઈ કરીને લેવામાં આવે છે.
Ø ગાય, ભેંસ, બકરી, ઘેટાં વગેરે
પશુઓનું પશુપાલન કરતાં જોવા મળે છે.
Ø ડુંગરાળ વિસ્તાર તેમજ બારે માસ
હરિયાળી છવાયેલી રહેતી હોવાથી ચકલી, કબુતર,કોયલ,કાબર વગેરે જેવા પક્ષીઓ
દ્રષ્ટીગોચર થતાં જોવા મળે છે.
Ø જન્માષ્ઠમી, રમજાન ઈદ, મહોરમ,
દિવાળી, હોળી વગેરે જેવા તહેવારોમાં આખું ગામ એક સાથે ભેગા મળીને ઉજવતા હતાં આ
પરંપરા આજે પણ જાળવી રાખી છે.
Ø નવરાત્રી વખતે રાસ ગરબા તેમજ મહોરમ
વખતે તાજીયા કાઢવામાં આવે છે.જેમાં સૌ સાથે મળીને ઉજવણી કરે છે.
Ø પ્રાચિન સમયથી ચાલી આવતી પરંપરામાં
ભવાઈ જોવા મળે છે,જેમાં રામાયણ,જેસલ-તોરલ, રાજા હરિશ્ચંદ્ર વગેરે ભજવવામાં આવે છે.
Ø ગામમાં પાણીના સ્ત્રોતમાં
મુખ્યત્વે કૂવો છે,તે સિવાય ચોમાસામાં વપરાશના પાણી તરીકે નદીના પાણીનો ઉપયોગ
કરવામાં આવે છે.
Ø પહેલાનો કાચો માર્ગ હવે પાકો અને
ધુન ધોરાજી,વડાળી સાથે જોડાયેલો છે.જ્યારે ઉમરાળા તરફનો માર્ગ હજુ કાચો જ છે.
Ø હાલમાં ગામમાં બસ સ્ટેશન અને
વીજળીની તેમજ અન્ય સુવિધાઓ છે.